Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

વિંછીયાના અમરાપુર ગામે પવનચક્કીના પાંખીયામાં ટકરાતા 'પેલીકન' પક્ષીનું મોત

વિંછીયા, તા. રર : વિંછીયા પંથકમાં ખાનગી કંપનીઓ દ્વારા ઠેરઠેર પવનચક્કીઓ ઉભી કરવામાં આવી છે. જે પવનચક્કીઓના પાંખીયા સાથે ટકરાઈને અનેક પક્ષીઓ મોતને ભેટતા હોય છે. ત્યારે અમરાપુર ગામની સીમમાં આવેલ એક ખાનગી કંપનીની પવનચક્કીના પાંખીયા સાથે વિદેશી પક્ષી પેલીકન ટકરાતા તેનું ગળું કપાઈ ગયું હતું અને ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા ગામના સરપંચ અને પક્ષી પ્રેમીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને દુઃખની લાગણી વ્યકત કરી હતી. આ તકે પક્ષીઓ પ્રેમીઓએ પવનચક્કીના જવાબદારો સામે આક્રોશ વ્યકત કર્યો હતો. બાદમાં વન વિભાગને જાણ કરાતા ફોરેસ્ટ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પેલીકન પક્ષીના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી આરંભી હતી.

(11:03 am IST)