Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ભુજની સરકારી હોસ્પિટલમાં લાશ બદલાઈ જતાં બબાલઃ માંડવી અને પોરબંદરના મૃતકની લાશ બદલાઈ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. રર :  ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં લાશ બદલી જવાના બનાવે ચકચાર સાથે બબાલ સર્જી હતી. માંડવીના દુર્ગાપુર ગામના એચઆઈવી ગ્રસ્ત દર્દી સોમાભાઈ રબારીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

તેમનો પરિવાર ગરીબ હોઈ લાશ લેવા માટે હિન્દુ યુવા સંગઠન મદદે આવ્યું હતું. દરમ્યાન લાશનો કબજો લેવા સમયે તેમના પત્ની ડાહીબેનને લાશ તેમના પતિની ન હોવાનું જણાતાં તેમણે હિન્દુ યુવા સંગઠન મારફતે હોસ્પિટલ ના સતાધીશો ને જાણ કરી હતી.

જેમાં ખ્યાલ આવ્યો હતો કે લાશ અન્ય પોરબંદરના મૃત દર્દી ના સગા વ્હાલાઓને સોંપી દેવાઈ છે.

ડખ્ખો થયા બાદ હોસ્પિટલના તબીબોએ પોરબંદર લાશ લઈ જતી એમ્બ્યુલન્સ ને ભચાઉ થી પાછી વાળી પોતાની ભૂલ સુધારી હતી. હોસ્પિટલ ના સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણી એ પોરબંદરના દર્દીઓના સગા વ્હાલા વીસ વર્ષ પછી પોતાના સ્વજનને મળતાં હોઈ તેમના દ્વારા ભૂલ થઈ હોવાનું જણાવ્યું હતું.

(11:50 am IST)