Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

મોરબી નજીક અપહરણ કરીને બાળાની હત્યા કોણે કરી ? તે દિશામાં તપાસનો ધમધમાટ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨૨ : મોરબી નજીક આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક દંપતીની સાત વર્ષની બાળકીનું અપહરણ થયાની પોલીસ ફરિયાદ બાદ તાલુકા પોલીસે તપાસ ચલાવી હતી જેમાં અપહૃત બાળકીનો મૃતદેહ સરતાનપર રોડ પરથી મળી આવતા ચકચાર મચી છે

બનાવની મળતી માહિતી મુજબ મૂળ એમપીના વતની અને હાલ મોરબી નજીકની સિરામિક ફેકટરીમાં રહીને મજુરી કરતા પરિવારની સાત વર્ષની બાળકીનું કારખાનામાંથી અપહરણ કરાયું હતું જે બનાવ અંગે બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે દંપતી ફેકટરીના આઉટ ટેબલ પર કામ કરતા હતા અને બાળકી નજીકમાં રમતી હોય જેનું અજાણ્યો ઇસમ અપહરણ કરી ગયાનું જણાવ્યું હતું તો ફરિયાદને પગલે તાલુકા પોલીસ તુરંત એકશન મોડમાં આવી હતી અને તપાસ ચલાવી હતી જેમાં પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અપહૃત બાળકીનો મૃતદેહ સરતાનપર રોડ પરથી મળી આવ્યો છે સુત્રો વધુમાં જણાવે છે કે મૃતદેહ પ્લાસ્ટિક બેગમાં બાંધેલ હોય જેના પર પથ્થર મુકવામાં આવ્યા હતા તો તાલુકા પોલીસે મોરબીમાં પીએમ કરાવ્યા બાદ ફોરેન્સિક પીએમ અર્થે બાળકીના મૃતદેહને રાજકોટ ખસેડ્યો છે તેમજ તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે બાળકીનું અપહરણ કોને કર્યું અને બાળકીની હત્યા કરવામાં આવી છે કે અન્ય કાઈ તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ ચલાવી છે.

(1:03 pm IST)