Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીને શ્રૃંગાર

વાંકાનેરઃ શ્રી સ્‍વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે શનિવાર નિમિત્તે તા. ૨૨-૧-૨૦૨૨ના રોજ પ.પૂ. શાસ્‍ત્રી સ્‍વામી શ્રી હરિપ્રકાશદાસજી-અથાણાવાળાની પ્રેરણાથી એવં કોઠારી શ્રી વિવેકસાગરદાસ સ્‍વામીના માર્ગદર્શનથી શ્રી કષ્‍ટભંજનદેવને દિવ્‍ય વાઘા ધરાવી મંગળા આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસ સ્‍વામી દ્વારા તેમજ દિવ્‍ય શણગાર કરી આરતી પ.પૂ. શાસ્‍ત્રી સ્‍વામી હરિપ્રકાશદાસજી-અથાણાવાળા દ્વારા કરવામાં આવેલ. દાદાના શણગારની સાથે નવનિર્માણ પામનાર નૂતન ભોજનાલયની ઝાંખી કરાવવામાં આવેલ. બાંધકામમાં વપરાતી તમામ પ્રકારની સામગ્રીઓ દર્શાવવામાં આવેલ. દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્‍ય લ્‍હાવો હજારો ભકતોએ ઘેરબેઠા ઓનલાઈન યુ-ટયુબ ચેનલ દ્વારા લઈ ધન્‍યતાનો અનુભવ કર્યો છે.

(11:43 am IST)