Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

પરબધામમાં મહાબીજ પર્વ કોરોનાના કારણે મુલત્‍વી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૨૨ :. જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના પરબધામ ખાતે આ વર્ષે કોરોનાના કારણે મહાબીજ પર્વ ઉત્‍સવ તથા સંતવાણી કાર્યક્રમ મુલત્‍વી રાખેલ છે.
પૂ. કરશનદાસબાપુ સદગુરૂ સેવાદાસજીબાપુની અધ્‍યક્ષતામાં આ નિર્ણય લેવામાં આવ્‍યો છે. હાલમા કોરોના કેસ વધતા અને સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવાયો હોવાનું પરબધામ મેનેજમેન્‍ટ દ્વારા જણાવાયુ છે.

 

(1:36 pm IST)