Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

રાજુલાના ‘અકિલા'ના પત્રકાર અને પ્રેસ કલબના પ્રમુખ શિવુભાઇ રાજગોરની પ્રથમ પુણ્‍યતિથી

રાજુલા તા. રર :.. રાજુલાના ‘અકિલા'ના પત્રકાર અને  પ્રેસ કલબ રાજૂલાના પ્રમુખ તથા બ્રહ્મસમાજના આગેવાન તેમજ સામાજીક અને રાજકીય રીતે અમરેલી જીલ્લામાં વર્ચસ્‍વ ધરાવતા એવા શિવુભાઇ રાજગોરની આજે પ્રથમ વાર્ષિક પુણ્‍યતિથી છે.
તેમના સગા-સબંધીઓ અને મિત્ર વર્તુળના લોકો દ્વારા ધાર્મિક કાર્યો કરીને તેઓના કાર્યોને યાદ કરશે. સ્‍વ. શિવુભાઇ રાજગોર રાજૂલા અને અમરેલી જીલ્લામાં સ્‍વચ્‍છ પત્રકાર તરીકે છાપ ધરાવતા હતા અને ભાજપ - કોંગ્રેસ બન્ને પક્ષના નેતાઓ સાથે સારો તાલમેલ  ધરાવતા હતાં. સ્‍વ. શિવુભાઇ રાજગોરને કેન્‍દ્રીય મંત્રી રૂપાલા તથા અમરેલીના પુર્વ સાંસદ અને ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણીએ તથા કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તથા રાજૂલાના ધારાસભ્‍ય અંબરીશ ડેર દ્વારા પણ તેઓને શ્રધ્‍ધાંજલી આપવામાં આવેલ હતી.


 

(1:37 pm IST)