Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

પોરબંદરમાં કોરોનાથી વધુ પ મોતઃ નવા ર૭ પોઝીટીવ કેસઃ સારવારમાં ૧૪ દર્દીઓ સાજા થયા

(પરેશ પારેખ - સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા.રર : ર૪ કલાકમાં જિલ્લામા કોરોનાથી પ દર્દીઓના મોત થયેલ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુનો આંક ૧ર૧ પહોંચ્યો છે. સરકારના રેકર્ડ ઉપર કોરોનાથી મૃત્યુઆંક ૪ દર્શાવે છે.

ગઇકાલે ૭૯૭ વ્યકિતઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ર૭ વ્યકિતઓને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલ છે. આ કોરોના પોઝીટીવ કેર છાંયા બોખીરા, ખાપર, કે.કે.નગર વાડી પ્લોટ વિસ્તારમાંથી આવ્યા છે. કોરોનાના સારવાર દરમિયાન ૧૪ દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૦૩૦ દર્દીઓ સાજા થઇ ગયેલ છે. સિવીલ હોસ્પિટલમાં હાલ નવા પ૪ દર્દીઓ તથા કોવિડ કેર  સેન્ટરમાં ૧૦ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહેલ છે.

(12:50 pm IST)