Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

મોરબીના વજેપરના બજરંગ મિત્ર મંડળ દ્વારા ફ્રી ટીકીન સેવા

મોરબીમાં કોરોના કહેર વર્તાઈ રહ્યો છે તો મહામારીના સમયમાં માનવતા મહેકાવનાર સેવાભાવીઓની પણ કમી નથી મોરબીમાં અનેક સંસ્થાઓ ૨૪ કલાક સેવાકાર્યમાં લાગેલી છે જેમાં મોરબીના બજરંગ મિત્ર મંડળ દ્વારા ફ્રી ટીફીન સેવા શરુ કરાઈ છે

મોરબીના વજેપર શેરી નં ૦૬ મેઈન રોડ ખાતેના ચકવા હનુમાનજી મંદિર બજરંગ મિત્ર મંડળ દ્વારા દર્દીઓ માટે બપોરે ફ્રી ટીફીન સેવા શરુ કરવામાં આવી છે જે સેવાનો લાભ લેવા ડાયાભાઇ મો ૯૮૭૯૬ ૧૨૫૯૭, છગનભાઈ મો ૯૮૭૯૨ ૭૦૫૦૬ અને કિશોરભાઈ મો ૯૯૦૯૧ ૭૨૭૮૮ પર સંપર્ક કરવા જણાવ્યું છે

(10:07 pm IST)