Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

બે તાલુકામાં શૂન્ય કેસ !!

દ્વારકા જિલ્લામાં કોરોનાના ૪ કેસ સામે ૧૧ સાજા થયા!!

ખંભાળીયા તા. રર :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંક્રમણમાં દિન પ્રતિ દિન ઘટાડો થતો જાય છે. એક સમયે ૯૦ થી વધુ કેસ ર૪ કલાકમાં નોંધાતા હતા જે ગઇકાલે માત્ર ચાર જ નોંધાયા છે. ત્રણ કેસ દ્વારકા તથા એક કેસ ખંભાળીયામાં નોંધાયો છે. જયારે ભાણવડ અને કલ્યાણપુરમાં શૂન્ય છે. કુલ ૧૧ દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જેમાં ખંભાળીયાના ત્રણ, કલ્યાણપુરના બે તથા દ્વારકામાં છ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.

ગઇકાલે કુલ ૪પ૪ વ્યકિતઓના ટેસ્ટીંગ કરાયા હતા જો કે સતત પાંચ દિવસથી જિલ્લામાં એકપણ તાલુકામાં મ્યુકો માઇકોસીસનો નવો કેસ નોંધાયો નથી.

(12:09 pm IST)