Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

માણાવદરમાં કાર્બાઇડ ખાવાથી ૪ ગાયને ઝેરી અસરઃ જીવદયા પ્રેમીઓમાં રોષ

(ગિરીશ પટેલ દ્વારા) માણાવદર તા.રર : કાર્બાઇડ ખાવાથી ૪ ગાયોને ઝેરી અસર થતાં જીવદયા પ્રેમીમા રોષ ફેલાયો છે. હાલ આ કાર્બાઇડ કેરી કે અન્‍ય ફળ પકવવા વપરાયેલ જયાં ત્‍યાં ફેકી દેવાતા રખડતા ઢોર આવા પેક પડીકા ખાવાનું સમજી ખાય જતા કાર્બાઇડની ઝેરી અસર થઇ હોવાનું જીવદયા પ્રેમીઓએ જણાવેલ છે.

ગૌરક્ષક ગ્રુપ દ્વારા ઝેરી અસર ગ્રસ્‍ત ગાયોની સારવાર કરી જીવ બચાવ્‍યા હતા. જીવદયા પ્રેમીઓએ સમસ્‍ત નગરજનોને વેપારીઓને અપીલ કરી છે કે જે કોઇ કાર્બાઇડ વાપરતા હોય  તેનો  જાહેર  ઉકરડામાં ન નાખતા તેનો યોગ્‍ય સ્‍થળે નિકાલ કરો જેથી પશુઓને ઝેરી અસર ન થાય જાહેર જનતા પણ ધ્‍યાનમાં લે.

(11:07 am IST)