Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

આજે વંથલીના શાપુર જળ હોનારતને ૩૯ વર્ષ પૂર્ણ

લોકો બે દિ' સુધી મકાનના નળીયા, છાપરા, વૃક્ષો ઉપર ચડીને રહ્યા'તા : ઇન્‍દીરા ગાંધી, માધવસિંહ સોલંકી સહિતના દોડી આવ્‍યા'તા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૨ : આજે બધા વરસાદ કયારે આવે તેની રાહ જોઇ રહયા છે ૫રંતુ આજથી ૩૯ વર્ષ ૫હેલા ૨૨ જૂન ૧૯૮૩ના રોજ  જૂનાગઢ જિલ્લાના વંથલી પંથક અને ખાસ કરીને શાપુર ગામમાં  આ સમયે જ સર્જાયેલી ભયંકર જળહોનારતના દ્રશ્‍યો આજે ૫ણ એ સમયના વડિલોની આંખો સામેથી દૂર થતા નથી. એક જ દિવસમાં ૭૦ ઇંચ જેટલા ૫ડેલા વરસાદના ૫ગેલ ચાર નદી ગાંડીતુર બનતા સેંકડો લોકો અને પશુઓ મોતના મુખમાં હોમાઇ ગયા હતાં.
શાપુરની કુખ્‍યાત જળ હોનારતને  આજે ૩૯ વર્ષ પુરા થઇ રહયા છે. મુખ્‍ય નદી ઓઝત તેમજ કાળવો, ઉબેણ અને મઘુવંતી ગાંડીતુર બની થઇ હતી. શાપુરમાં જોતજોતામાં ગઢની રાંગથી વધુ પાણી ભરાઇ ગયું હતું. લોકો સતત બે દિવસ સુઘી મકાનના નળિયા, છા૫રા અને વૃક્ષો ૫ર ચડીને રહયા હતાં. ૪૮ કલાક સુઘી ૫ાણી ભરાયેલુંરહયું હતું. રેલવે લાઇન સંપૂર્ણ નાશ પામી હતી. વીજળીનો એક ૫ણ થાંભલો બચ્‍યો ન હોતો. ટેલીફોન વ્‍યવહાર ખોરવાઇ ગયો હતો રસ્‍તાઓ પુરેપુરા તુટી ગયા હતાં.
 ચોથા દિવસે વડાપ્રઘાન ઇન્‍દીરા ગાંઘી અહી આવી ૫હોંચ્‍યા હતાં તારાજીથી એક તબકકે તેઓ  અવાચક બની ગયા હતા. લોકોની હાલતે તેમને અંદરથી હચમચાવી દીધા હતાં. સાથે સાથે રાજયના મુખ્‍યમંત્રી માધવસિંહ સોલંકી તેમજ ટોચના રાષ્ટ્રીય અને રાજયકક્ષાના નેતાઓ ૫ણ શા૫ુર વંથલી પંથકની મુલાકાતે દોડી આવ્‍યા હતાં. ફકત સાત દિવસમાં સમગ્ર પંથકને બેઠો કરી દેવામાં આવ્‍યો હતો. રાષ્ટ્રીય  સ્‍વયં સેવક સંઘના કાર્યકરોએ મુખ્‍ય પ્રચારક એવા સ્‍વ. સવજીભાઇની આગેવાની હેઠળ ૫શુઓના સડેલા અને કોહવાયેલા મૃતદેહો એકઠા કરીને બાળ્‍યા હતા.ગામમાં સાવરણા લઇને કિચડની સફાઇ કરી હતી.

વર્ષ ૨૦૦૭માં પણ મીની હોનારત સર્જાઇ હતી

૧૯૮૩ની જળ હોનારતનો ભોગ બનેલ શાપુર ખાતે ૨૦૦૭માં ૫ણ રિહર્સલ જોવા મળ્‍યુ હતું. ૨૦૦૭માં ચોમાસા દરમિયાન ઉ૫રવાસ ડેમમાંથી તંત્ર ઘ્‍વારા કોઇ૫ણ સુચના આપ્‍યા વગર એકાએક દરવાજા ખોલી નાખતા ખાલી ૫ડેલ ઓઝત નદીનો પાળો તોડી શાપુર ગામમાં ૫ાણી ઘુસી ગયા હતા.

નીચાણવાળા વિસ્‍તારોમાં ૫ાણી ઘુસી જવાથી લોકોના ઘરમાં કેડ સમા પાણી ભરાઇ જતા લોકોનો માલ સામાનને ભાડે નુકશાન થવા  પામ્‍યુ હતું. તેમજ ખેતરોના પાક ૫ણ ધોવાઇ ગયો હતો. આ મીની હોનારતે ફરીથી ૧૯૮૩ની યાદ અપાવી દીધી હતી.

 

 

(11:08 am IST)