Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ભાવનગરમાં સેવાકીય પ્રવૃત્તિ દ્વારા જન્મદિવસની ઉજવણી

 ભાવનગર :  આશુતોષ અન્નક્ષેત્ર તળાજાના સ્થાપક ભરદ્વાજબાપુનો જન્મ દિવસ ઝૂંપડપટ્ટીના બહેનોને સાડી તેમજ બાળકો ગિફ્ટ આપી ઉજવયો હતો. ઘરે જાતે રસોઈ બનાવી ૨૦૦થી વધુ ઝૂંપડપટ્ટીના બાળકો તેમજ પાગલ, ભિક્ષુક, નિરાધારને ભોજન નિયમિત પહોંચાડી અત્યાર સુધીમાં ૩ લાખથી વધુ ભૂખ્યાને ભોજન ઉપરાંત શિયાળામાં ધાબળા તેમજ ઉનાળામાં ચપ્પલ, બાળકોને રમકડાં તેમજ અભ્યાસલક્ષી વસ્તુ તથા  ડોનેશન કેમ્પ પણ કરાય છે.જન્મ દિવસ, લગ્ન દિવસ, પુણ્ય તિથિ વગેરેમાં લોકો ઝૂંપડપટ્ટીના બાળકોને ભોજન આપીને ભગીરથ કાર્ય   માટે સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ અનેક એવોર્ડ પણ મળી ચુક્યા છે.(મેઘના વિપુલ હિરાણી ભાવનગર)

(12:23 pm IST)