Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

પાકિસ્તાન જેલ મુકત ર૦ માછીમારો કાલે બસ દ્વારા વેરાવળ પહોંચશે

સુરત તા. રરઃ પાકિસ્તાન જેલમાંથી મુકત થયેલા માછીમારો આવતી કાલે બપોર બાદ વેરાવળ બસ દ્વારા આવી પહોંચે તેવી શકયતા છે.

ચાર વર્ષ પહેલાં અરબી સમુદ્રમાં માછીમાર કરતા ર૦ માછીમારને પાકિસ્તાન મરિન સિકયુરીટીએ ઝડપી લીધા બાદ તેઓ હવે મુકત થતા ગુજરાત રાજય મત્સ્યોદ્યોગ વિભાગના બે અધિકારી નડીયાદના અધિકારી મહેશ ભાલોતિયાની આગેવાનીમાં લેવા માટે સરહદ ઉપર ગયા હતા જયાં સોમવાર સાંજે કબ્જો લઇ રાત્રીના આ કાફલો અમૃતસર પહોંચ્યો હતો અને ગઇકાલે ગોલ્ડન ટેમ્પલ ટ્રેન દ્વારા આ માછીમારો રવાના થતા આજે સવારે વડોદરા પહોંચ્યા છે.

આ માછીમારો બસ દ્વારા હવે કાલે વતન પહોંચનાર હોઇ માછીમાર પરિવારોમાં ખુશહાલ વ્યાપી ગઇ છે.

(12:50 pm IST)