Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરૂકુળમાં યોગ દિવસની ઉજવણી

સાવરકુંડલાઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસના વિશેષ અવસરે સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા ના અધ્યક્ષ સ્થાને વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુળના યોગ શિક્ષક જયસુખભાઇ કાનાણી તથા દિલીપભાઈ બાઢડા અને પોપટભાઈ બુહા તથા ગુરુકુળના શિક્ષકો અને બાળકો સહિત અન્ય કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયાએ કહ્યુ કે યોગ પ્રણાલી ભારતની પેઢીને સુવર્ણ ઇતિહાસની અનોખી ઝલક આપે છે .

નિયમિત યોગાભ્યાસ અને પ્રાણાયામ થકી શરીર સ્વસ્થ અને સ્વચ્છ રહે છે તેમજ માનવજીવનના અંતિમ લક્ષ્ય અધ્યાત્મ જ્ઞાન તરફ પણ ઉન્નતિનો માર્ગ સૂચિત કરે છે.(તસ્વીર-અહેવાલઃ ઇકબાલ ગોરી- દિપક પાંધીઃ સાવરકુંડલા)

(12:52 pm IST)