Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

અમરેલી જિલ્લા તંત્રી સંઘના કન્વીનર પદે ભરતભાઇ ચૌહાણ તથા પ્રમુખપદે હિંમતલાલ સરખેદી

અમરેલી,તા. રરઃ  જિલ્લામાં બે વર્ષના કોરોના કાળ અતર્ગત જિલ્લાના દૈનિકો,  સાપ્તાહિકો તેમજ પાક્ષીક અખબારોએ અખબારી સેવાને સુપેરે સાકાર કરી છે  ત્યારે વર્ષ રબરર-ર૩ ના અમરેલી જિલ્લા તંત્રી સંઘના હોદેદારોની સર્કિટ  હાઉસ ખાતે એક મિટીંગનું આયોજન થયેલ હતું. જેમા સર્વસંમતીથી ગત વર્ષની  જિલ્લા તંત્રી સંઘનું બોર્ડ થોડા ફેરફારો સાથે કાર્યરત રહે તેવું મંતવ્ય દરેક  હોદેદારોનું રહેવા પામેલ હતું.   

આ તકે જિલ્લા તત્રી સંઘના હોદેદારોમાં કન્વીનર પદે ભરતભાઈ  ચૌહાણ (તંત્રીશ્રી અવધ ટાઈમ્સ-દૈનિક)ની સર્વસમતીથી વરણી કરાયેલ હતી.  જયારે કન્વીનર પદેથી ભરતભાઈ ચૌહાણે જિલ્લા તંત્રી સંઘના પ્રમુખ, ઉપપ્રમુખ,  મંત્રી સહિતની વરણી જાહેર કરેલ છે.

જિલ્લા તંત્રી સંઘના પ્રમુખપદે હિમતલાલ સરખેદી (તંત્રીઃ દિવ્યપ્રકાશ  દૈનિક તેમજ વોટબેંક-સાંધ્ય દૈનિક) ની સતત બીજી ટર્મ માટે બીનહરીફ વરણી  કરાયેલ હતી. તેમજ ઉપપ્રમુખ પદે સુરેશભાઈ દેસાઈ (તંત્રીશ્રી સંજોગ ન્યુઝ -  દૈનિક), વિજયભાઈ ચૌહાણ (સહતંત્રીશ્રી અવધ ટાઈમ્સ - દૈનિક), મત્રી પદે    રવિભાઈ પટ્ટણી (ગીરીરાજ ટાઈમ્સ-દેનિક), સહમંત્રી પદે નિલેશભાઈ  જાની (આગમન-દૈનિક), ખજાનચી પદે ધર્મેશભાઈ ત્રિવેદી (ઉલ્કા સાપ્તાહિક),  સહ ખજાનચી પદે અતુલભાઈ કારીયા (રૂપમ સાપ્તાહિક), સંગઠન મંત્રી પદે    રાજેશભાઈ કામદાર ( નવસર્જન-નવયુગ સાપ્તાહિક), તેમજ સલાહકાર    સમિતિમાં પીઢપત્રકાર ઉમંગભાઈ છાટબાર (પાંચાલીલોક-બાબરા), જયેશભાઈ  શાહ (સૌરાષ્ટ્ર સંગત- કુકાવાવ), રાજનભાઈ જાની (કૃતિકા-અમરેલી), અતુલભાઈ ચૌહાણ (અમરેલી પ્લસ- અમરેલી), હાદિકભાઈ દવે (લીલીયા  ટાઈમ્સ-અમરેલી),રાજેશભાઈ હિંગુ (સ્વીટ ર્મોનિંગ- અમરેલી), વિરલભાઈ  કામદાર (જયવણિક-અમરેલી), અતુલપુરી ગોસાઈ (દશનામ દશિતિ- અમરેલી),    હિતેશભાઈ સેજુ (દિવ્યપુંજ-અમરેલી), શ્રીમતી નિલાબેન ભુટાણી (નારીદર્શન-  અમરેલી), શ્રીમતી ગીતાબેન ત્રિવેદી (ગરવીગુજરાતણ-અમરેલી), જયશ્રીબેન  જયંતભાઈ કામદાર (જયવણિક-અમરેલી), કુ. માનસી ત્રિવેદી (અમરેલી પડઘો-  અમરેલી), કુ.સોનલબેન કામદાર (નવયુગ-અમરેલી) ની સલાહકાર સમિતિમાં વરણી કરવામાં આવેલ છે.

(12:55 pm IST)