Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ભાવનગર શહેરમાં કોરોનાના 11 કેસ નોંધાયા; સાત દર્દીઓ કોરોના મુક્ત

કાછીયાવાડ ,ઇસ્કોન મેગા સિટી, એરપોર્ટ રોડ, સુભાષનગર ,અનંતવાડી , ઘોઘા સર્કલ, વાઘાવાડી રોડ કાળીયાબીડ અને નવાપરા વિસ્તારમાં 11 લોકો કોરોના સંક્રમિત

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : કોરોના મહામારી હવે શહેરના અનેક વિસ્તારોમાં પ્રસરી રહી છે. આજે શહેરના કાછીયાવાડ ,ઇસ્કોન મેગા સિટી, એરપોર્ટ રોડ, સુભાષનગર ,અનંતવાડી , ઘોઘા સર્કલ, વાઘાવાડી રોડ કાળીયાબીડ અને નવાપરા વિસ્તારમાં 11 લોકો કોરોના સંક્રમિત થયા છે. આજે શહેરમાંથી સાત દર્દીઓ કોરોના મુક્ત થતા ડીસ્ચાર્જ થયા છે .વધુ ૧૧ નવા કેસના પગલે હવે ભાવનગરમાં કોરોના એક્ટિવ દર્દીની સંખ્યા 45 થવા પામી છે.

(8:08 pm IST)