Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

મોરબીના પાડા પુલ અને મયુર પુલમાં છેલ્લા પાંચ દિવસથી અંધારપટ્ટ

થાંભલા પડી ગયા હોવાથી તેનું કામ ચાલુ છે જે ત્રણ-ચાર દિવસમાં થઇ જશે : ચિફ ઓફિસર

મોરબી : મોરબીના પાડા પુલ અને મયુરપુલમાં છેલ્લા પાંચ દિવસથી અંધારપટ્ટ સર્જાયો છે. પાલિકા દ્વારા કોઈ કામ ચાલતું હોય અહીં ઉભેલા થાંભલા પણ કાઢી લેવામાં આવ્યા છે. જેને કારણે વાહન ચાલકોને રાત્રીના સમયે અંધારાના કારણે હાલાકી પડી રહી છે.

જો કે આ અંગે ચીફ ઓફિસર ગિરીશ સરૈયાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું કે પાડા પુલ અને મયુરપુલમાં અમુક થાંભલાઓ પડી ગયા હતા.

(9:51 am IST)