Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

વિરપુરમાં ઉછીના દીધેલા રૂ. ૩૦૦ પાછા માંગતા સુરેશને સસરાએ ધારીયુ માર્યુ

ડોક પર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૨: વિરપુરમાં જેઠાબાપાના મંદિર પાછળ રહેતાં અને ખેત મજૂરી કરતાં સુરેશ રમેશભાઇ વાધી (આદિવાસી) (ઉ.વ.૨૧)ને તેના સસરા અશોકભાઇએ ડોક પર ધારીયાનો ઘા ઝીંકી દેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસિપટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ વિરપુર પોલીસને જાણ કરી હતી.

સુરેશના કહેવા મુજબ તેણે સસરાને રૂ. ૩૦૦ ઉછીના આપ્યા હતાં. આ રકમની ઉઘરાણી કરતાં સસરાએ પૈસા આપવાની ના પાડતાં બોલાચાલી થઇ હતી અને બાદમાં તેણે ધારીયાનો ઘા ઝીંકી દીધો હતો.

(11:53 am IST)