Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

દામનગર : તૌકતે વાવાઝોડા બાદ કરોડાનો ખર્ચ છતાં વિજ પ્રશ્નો યથાવત

(વિમલ ઠાકર દ્વારા) દામનગર,તા. ૨૨: અમરેલી જિલ્લામાં આવેલ તૌકતે વાવાઝોડા સબંધીત પી.જી.વી.સી. એલ . વર્તુળ કચેરી ૧ અને ૨ અમરેલી ના ૫૧૨ કરોડના નુકશાન ખર્ચ અને બીજા જિલ્લાઓમાંથી આવેલ અધીકારી કર્મચારીની ટીમના જમવા રહેવાના રૂ. ૨,૧૧,૩૫,૮૩૪ના ખર્ચ કરવા છતા કામગીરી થયેલ નથી જેની તમામ જવાબદારો સામે ખાતાકીય તપાસ કરી રીકવરી કરી પગલા ભરવાની માંગ કરાઇ છે. 

અમરેલી જિલ્લામાં તૌકતે વાવાઝોડાના કારણે પી.જી.વી.સી.એલ કચેરીના વર્તુળ -૧ અને વર્તુળ ૨ હેઠળની આખા જિલ્લાના તમામ તાલુકામાં (૧) અમરેલી તાલુકામાં ૨૦૫૧,૯૭ (લાખમાં) (૨) લાઠી ૧૧૪૨,૦૯ (લાખમાં) (૩) લીલીયા ૭૪૬,૯૮ (લાખમાં) (૪) બાબરા ૧૦૮૬.૩૧ લાખમાં (૫) કુંકાવાવ વડીયા ૧૭૬૦.૧૬ ( લાખમાં ) (૬) ધારી ૮૭૨૫.૮૦ લાખમાં ) (૭ ) બગસરા ૨૦૫૧.૨૪ લાખમાં ) (૮) સાવરકુંડલા ૧૦૨૦૦.૯૩ (લાખમાં) ( ૯ ) ખાંભા ૬૯૫.૩૧ (લાખમાં) (૧૦) રાજુલા ૧૦૧૨૧.૪૦ લાખમાં) (૧૧) જાફરાબાદ ૮૬૭૮ (લાખમાં) આમ , કુલ ફીડર ૦૫ ના નુકશાન પામેલ એસ.ટી પોલ -૧,૩૮,૬૫ ર એલ.ટી.ના ૨૮,૯૯૮ ટ્રાન્સફોર્મર નુકશાન ગ્રસ્ટ - ૨૪૦૯૭ સિંગલ ફેજ સર્વિસ ૨૩૭૫૦ અને થી ફેઈઝ સર્વિસ -૧૨૪૫૦ ના આમ કુલ થયેલ ખર્ચ રૂા . ૫૧૨૮૮.૯૬ (કુલ ખર્ચ લાખમાં) એટલે કે ૫૧૨ ( પાંચસો બાર કરોડથી વધુનો ખર્ચ થયેલ છે . તેમ છતા પુનઃ વિજળી ઘણા તાલુકાના અનેક ગામોમાં પુર્વવત થયેલ નથી અને વાવાઝોડા બાદ પુર્વ ઉર્જા મંત્રી સૈરભ દલાલની કામગીરીના વાસ્તવિકતા ચકાસણી કરવાની ખુબ જરૂરી છે આટલો મોટો ખર્ચ કરવા છતા ખેડુતોને વિજળી ખેતીવાડીમાં આવી શકાયેલ નથી તો આવડા મોટા ખર્ચની તપાસ થવા મારી આ લેખિત રજુઆત છે તેમજ અન્ય જિલ્લામાંથી આવેલ અધીકારી અને કર્મચારીને માત્ર રહેવા જમવાનો ખર્ચ વર્તુળ કચેરી ૧ અમરેલી નો રૂા . ૧,૫૫,૭૩,૯૮૭ / - અને વર્તુળ કચેરી ૨ અમરેલીનો રૂા . ૫૫,૬૧,૮૪૭ આમ બંને મળી જમવા રહેવાના બહારના અધીકારી કર્મચારીનો ૨,૧૧,૩૫,૮૮૪  જેમા ટી.એ.ડી એનો સમાવેશ થતો નથી તો આવડી મોટી રકમ આ વાવાઝોડામાં જમવા પાછળ ખર્ચ થયો જેની પણ મુકાયેલ હોટલના બિલો વિગેરે તપાસ કરવાથી રાષ્ટ્ર અને જનતાના સરકારી નાણામાં મોટો ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવેલ છે .

આવી જ રીતે અમરેલી શહેરમાં ૪ વર્ષથી અંડરગ્રાન્ડ કેબલ નાખેલ હોવા છતા જો વાવાઝોડા પુર્વના વર્ષોમાં આ કેબલ ચાલુ હોત તો અમરેલી શહેરમાં નુકશાની નહિવત થાત જેના જવાબદારો સામે પણ તપાસ થવા અને દ્યરે દ્યરે અર્થ બેસાડવાના કામમાં પણ મોટો ભ્રષ્ટાચાર આચરેલ છે જે એકપણ દ્યરમાં અર્થથી જોડાયેલ નથી અને અમરેલી પી.જી.વી.સી.એલ કચેરીના અનેક અધીકારી કર્મચારીઓ ખાનગી સોલર કંપનીના સરકારીની સોલાર યોજનાના ઈનડાયરેકટ ભાગીદારી પણ છે . જેની તપાસ થવા તદઉપરાંત ઘણા ઈન્સ્ટીયલ કારખાનાઓમાં તેની કમ્પાઉન્ડ વોલ અંદર ટી.સી. ઉભા કરી નિયમ વિરૂધ્ધ કામ કરી ચોરી કરવાના દ્વાર પી.જી.વી.સી.એલ. કચેરીના અધીકારી ગણ જ આવી પ્રવૃતીઓમાં ભાગીદાર અને સહભાગી છે તેમજ વર્ષોથી અમરેલી જિલ્લામાં ફરજ બજાવતા મોટા અધીકારીઓની બદલી થયેલ નથી આ જીવન અમરેલી જિલ્લામાં નિમણુંક થયા તો નો ઘાટઘડાયો છે તો આ બધીજ બાબતો અત્યંત ગંભીરતા પૂર્વક ધ્યાને લેવા અને જવાબદાર તમામ સામે પગલા ધ્યાને લેવા અને પગલા ભરવા મારી નમ્ર વિનંતી સહ અરજ છે તેમ સુખડીયા એ પત્ર પાઠવી રાજયના મુખ્ય મંત્રી સમક્ષ રજૂઆત કરી છે. 

(10:37 am IST)