Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચામાં અમરેલીના જુના જોગીઓ જગદીશભાઇ ધરજીયા તથા મોટા માચીયાળાના દેવેન્દ્રભાઇ ધાધલની નિમણુંક

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. રર : જિલલા ભાજપના પ્રમુખ કૌશીકભાઇ વેકરીયા તથા મહામંત્રીશ્રીઓ ભુપેન્દ્રભાઇ બસીયા, રાજુભાઇ કાબરીયાની ભલામણથી તેમજ કેન્દ્રીય કેબીનેટ મંત્રી અને આદરણીય પુરૂષોતમભાઇ રૂપાલા તેમજ આપણા જિલ્લાના કદાવર નેતા અને એન.સી.યુ.આઇ.ના ઓલ ઇન્ડીયાના ચેરમેન દિલીપભાઇ સંઘાણી તેમજ જિલ્લાના લોકપ્રિય સાંસદસભ્ય નારણભાઇ કાછડીયા અને અમરેલી જિલ્લાના સંગઠનના પ્રભારી ભરતભાઇ બોધરા તેમજ સુરેશભાઇ ગોધાણીની સુચનાથી પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઇ કાનગડએ આ નિમણુંકો કરેલ છે.

પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચામાં અમરેલી ભાજપના જુના જોગી જગદીશભાઇ ધરજીયાની બક્ષીપંચ મોરચનની પ્રદેશ કારોબારીમાં નિમણુ઼ક થયેલ છે તેમજ તેઓને ભાવનગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રભારી બનાવેલ છે. જગદીશભાઇ અમરેલી નગરપાલિકાના પ્રમુખ તરીકે કામગીરી કરી ચુકયા છે તેમજ તેઓ ર૦૦૭માં જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકે પણ કામગીરી કરેલ છે.

તેમજ દેવેન્દ્રભાઇ ધાધલ સ્વ. ચાંપરાજબાપુ ધાધલના સુપુત્ર છે અને હાલ તેઓ મોટા માચીયાળા ગામના યુવા સરપંચ તરીકે કામગીરી કરે છે. તેઓના પિતા સ્વ. શ્રી ચાંપરાજબાપુ પણ પ્રદેશમાં કારોબરી સભ્ય હતા અને સનિષ્ઠ કાર્યકર્તા હતા. દેવેન્દ્રભાઇ પણ તેમના નકસા કદમે ચાલી રહ્યા છે, આમ ભાજપે બંને પીઢ અને કસાયેલા કાર્યકર્તાઓની નિમણુંક કરેલ છે. આ બંનેને નિમણુંકોથી તેમના સમર્થકો અને શુભેભ્છકોમાં અને ભાજપના કાર્યકર્તાઓમાં આનંદની લાગણી છવાઇ ગયેલ છે.

આ બંને મહાનુભાવોની નિમણુંકને પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી અને એડવોકેટ મયુરભાઇ માંજરીયાએ આવકારેલ છે. જિલ્લા ભાજપ બક્ષી પંચના અધ્યક્ષ રાજુભાઇ ભુતૈયાની યાદીમાં જણાવાયું છે. 

(12:52 pm IST)