Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

બોટાદ જીલ્લાનાં રાણપુરમાં શનિવારથી સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનું મહા અધિવેશન

રાજયમંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, સાંસદ રામભાઇ મોકરીયા, એસ.પી. હર્ષદ મહેતા સહિતના ઉપસ્થિત રહેશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.રર : આગામી તા.રપ સપ્ટેમ્બરને શનિવારથી બોટાદ જિલ્લાના રાણપુર ખાતે આવેલ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજનું ર૬મુ મહાઅધિવેશન ર૦ર૧ મળનાર છે.

શનિવારે આ અધિવેશનનુ સંતશ્રી આત્માનંદ સરસ્વતીજી તથા શાસ્ત્રી કનુબાપુ રાજયગુરૂ ઉદઘાટન કરી ખુલ્લુ મુકશે અને પ્રમુખ સ્થાને સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ છેલભાઇ જોષી તેમજ મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજયના મહેસુલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીઅ ને સાંસદ રાજયસભા શ્રી રામભાઇ મોકરીયા અને અતિથિ વિશેષ તરીકે પાળીયાદના પુ.ભયલુભાઇ,  વિભાવરીબેન દવે, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, કનુભાઇ બારૈયા, બોટાદના એસ.પી.શ્રી હર્ષદ મહેતા એસ.પી. ડો. ગીરીશ પંડયા, સંજય જોષી તેમજ જીલ્લાના નવા વરાયેલા પ્રમુખ કે.ડી. પંડયા પ્રમુખ સમસ્ત બ્રહ્મસમાજ જુનાગઢ જિલ્લો પોરબંદર જિલ્લાના પ્રમુખ પ્રેમશંકરભાઇ જોષી, બોટાદ જિલ્લાના પ્રમુખ અલ્કેશભાઇ ભટ્ટ અને ટ્રસ્ટીઓ હસુભાઇ જોશી, જુનાગઢ તેમજ સમગ્ર  ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓની ઉપસ્થિતિમાં મહાઅધિવેશન શરૂ થશે. સાંજે ૭ કલાકે વિચારસરણી વિષય પર બેઠક રાત્રે ૮ કલાકે ભોજન પ્રસાદ અને ૯ કલાકે ભુદેવ કલાકારોનો સંગતી સંધ્યાનો કાર્યક્રમ યોજાશે. તેમજ રવિવારે સવારે ૧૦ કલાકે મહાઅધિવેશનનું ઉદઘાટન થશે અને ગત સંમેલનથી આ સંમેલન સુધીના સમયગાળા દરમિયાન મૃત્યુ પામેલ જુનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ પરેશભાઇ જોષી સહિતના સમાજ શ્રેષ્ઠી દિવંગતોને શ્રધ્ધાંજલી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં બોટાદ જીલ્લાના સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ડો. વેણીભાઇ જોષી, તેમજ શહેર પ્રમુખ ભરતભાઇ જોષી, પત્રકાર જયેશ દવે સહિતના ઉપસ્થિત રહેશે અને પાલીતાણાના રમેશભાઇ શુકલ, બીએપીએસ મંદિરના પુ. મુનિ સેવા સ્વામી, આચાર્ય, ઘનશ્યામજી મહારાજ સહિતના આર્શિવચન પાઠવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સૌ. કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ બોટાદ યુવા પાંખ મહિલા પાંખ અને સમસ્ત બ્રહ્મસમાજની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

(12:57 pm IST)