Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

સાવરકુંડલાઃ એસપીનું સન્માન

 સાવરકુંડલા : અમરેલીના શ્રી નાગનાથ મહાદેવ મંદિરે બુટ-ચપ્પલની ચોરી કરનારને એસપી નિર્લિપ્ત રાયના આદેશથી સીટી પી. આઇ. શ્રી ચૌધરી અને ટીમે ઝડપી પાડેલ છે. અમરેલીના નાની વયના બાહોશ શ્રી એસ. પી. નિર્લિપ્ત રાયે જયારથી ચાર્જ સંભાળેલ છે ત્યારથી અમરેલી જિલ્લાના લોકો રાહતની લાગણી અનુભવી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તનસુખભાઇ ઠાકર તથા અરવિંદભાઇ પી. જાની (જાનીદાદા) એ એસ. પી. શ્રી નિર્લિપ્ત રાયની ઓફીસે જઇને સ્વયંભુ નાગનાથ દાદાનો ફોટો, સાલ તેમજ પુષ્પગુચ્છથી સન્માનીત કરેલ છે અને અભિનંદન આપેલ છે. (તસ્વીર-અહેવાલ : ઇકબાલ ગોરી - સાવરકુંડલા)

(12:59 pm IST)