Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

પીથલપુર ગામે આશીર્વાદ પ્રસુતિગૃહ અને જનરલ હોસ્પિટલ

સાવરકુંડલાઃ પીથલપુર ગામે શરૂ કરવામાં આવેલ આશીર્વાદ પ્રસુતિગૃહ અને જનરલ હોસ્પિટલ નું લોકાર્પણ સાવરકુંડલા માનવ મંદિરના પૂજ્ય ભકિત બાપુના વરદ હસ્તે કરાયું હતું. તળાજા મહુવા અને પાલિતાણા ની મધ્યમાં આવેલ પીથલપુર ગામમા હોસ્પિટલ શરૂ કરાતા આસપાસના લોકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહ્યું છે અને આ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે શરૂ કરાયેલ હોસ્પિટલ આ અંતરિયાળ વિસ્તારમાં આશીર્વાદ હોસ્પિટલ લોકો માટે આશીર્વાદ રૂપ નીવડશે એવા આશીર્વાદ પાઠવતા પૂ.બાપુએ પોતાનો રાજીપો વ્યકત કર્યો હતો.

(10:21 am IST)