Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા કોરોના સંક્રમિત.

---પરિવારજનો સંક્રમિત થયા બાદ નિલેશભાઈ પણ કોરોના પોઝિટિવ આવ્યા : હાલ તેમની તબિયત સારી હોય હોમ આઇસોલેટ.

 મોરબી સિરામીક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાના પરિવારજનો કોરોના સંક્રમિત થયા બાદ તેમને પણ શરદી અને કોરોનાના લક્ષણો જણાતા ગઈકાલે નિલેશભાઈએ કોરોના ટેસ્ટ કરાવતા તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે અને છેલ્લા ચાર – પાંચ દિવસમાં તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.

તેમની સાથે વાત કરતા નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે તેઓની તબિયત એકદમ સ્વસ્થ છે. અને હાલ તેઓ હોમ આઇસોલેટ થયા છે. વધુમાં છેલ્લા ચાર પાંચ દિવસ દરમિયાન તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લેવા અનુરોધ કર્યો છે અને તેઓ તેમજ તેમના પરિવારજનોની તબિયત સારી હોવાનું જણાવ્યું છે.

 

(4:59 pm IST)