Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

ભાવનગરમાં કોરોનાએ વધુ એકનો ભોગ લીધો: નવા 428 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 376 દર્દીઓ કોરોના મુક્ત થયા

ભાવનગરમાં હવે કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 3145 થઈ

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગરમાં કોરોનાની મહામારીએ ફફડાટ ફેલાયો છે. છેલ્લા ચાર દિવસથી કોરોનાથી મોતના બનાવો બની રહ્યા છે આજે પણ કોરોનાએ એક જિંદગી નો ભોગ લીધો છે. આજે ભાવનગરમાં કોરોનાથી એકનું મોત નીપજ્યું છે અને 428 પોઝિટિવ કેસ નોંધાયા છે.

ભાવનગર શહેરમાં આજે કોરોનાના 399 કેસ અને ભાવનગર ગ્રામ્યમાં 29 કેસ સહિત કુલ 428 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર શહેરમાં 323 દર્દીઓ અને ભાવનગર ગ્રામ્ય માં 53 દર્દીઓ સહિત કુલ 376 દર્દીઓ કોરોના મુક્ત થતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે ભાવનગરમાં હવે કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 3145 થઈ છે જ્યારે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધી 309 થવા પામ્યો છે.

 

(8:16 pm IST)