Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ગુરૂવારે રાજકોટમાં રાજગોર બ્રાહ્મણ યુવા સોશ્‍યલ ગ્રુપ દ્વારા સમુહ લગ્નોત્‍સવ અને યજ્ઞોપવિત સમારોહ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૩ :.. રાજકોટ રાજગોર બ્રાહ્મણ યુવા સોશ્‍યલ ગ્રુપ આગામી તા. ર૬ મી જાન્‍યુ. ગુરૂવારે વસંત પંચમીના રોજ પુનીતનગર પાણીના ટાકા સામેના રોડ સર્વોદય સ્‍કુલની બાજુમાં ૮૦ ફુટ રોડ, ખાતે રજત લગ્નોત્‍સવ રપમો આદર્શ સમુહ લગ્નોત્‍સવ તથા સમુહ યજ્ઞોપવિત સમારોહ યોજાનાર છે.

સમુહ લગ્નોત્‍સ્‍વમાં ૬ નવદંપતિ પ્રભુતામાં પગલા માંડશે અને ૯ બટુકો યજ્ઞોપવિત ધારણ કરશે આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા જ્ઞાતિના સર્વે વંદનીય સંતો રાજગોર બ્રાહ્મણ સેવા સંઘના ટ્રસ્‍ટીઓ હોદેદારો સમાજના રાજકીય આગેવાનો જેમાં જેન્‍તીભાઇ તેરૈયા ગીજુભાઇ ભરાડ  ડો. એન. ડી. શીલુ તેમજ બેંકિમભાઇ મહેતા, ભરતભાઇ જોષી, જયેશભાઇ દવે રાજેશભાઇ શીલુ તેમજ રાજગોર બ્રાહ્મણ યુવા સોશ્‍યલ ગ્રુપની ટીમ દ્વારા આમંત્રણ અપાયું હતું.

(12:00 pm IST)