Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

વિસાવદરમાં પુર સંરક્ષણ દીવાલના કામનુ નિરિક્ષણ કરતા કાર્યપાલક ઈજનેર-આગેવાનો

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૨૩: વિસાવદર મધ્‍યમાંથી પસાર થતી પોપટડી નદીના કાંઠે આવેલ પૌરાણિક શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરેના માટે પુર સંરક્ષણ દીવાલ મંજૂર થયેલ હોય,જેનું કામ પુરજોશમા ચાલી રહ્યું છે જેની મુલાકાત લેવા માટે જૂનાગઢ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ડાભી તેમજ નાયબ ઈજનેર ખાભલા દ્વારા સ્‍થળની મુલાકાત કરવામાં આવી હતી. મંદિરના મહંત પૂ.હીરાપુરીબાપુ તેમજ ભરવાડ સમાજના પ્રમુખ ભુટાભાઈ ભરવાડ અને સમાજના આગેવાનોને માહિતી આપી હતી.

(1:34 pm IST)