Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

જેતપુરના બોરડી સમઢિયાળાની કળપાલીને યુનિવર્સિટી દ્વારા સુવર્ણ ચંદ્રક્ર એનાયત

(કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા.૨૩ : રાજકોટ ખાતે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી નો ૫૭ મો પદવીદાન સમારોહ ગુજરાત રાજ્‍યના રાજ્‍યપાલ માન.આચાર્ય દેવવ્રતજીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયો હતો .જેમાં અલગ અલગ ૧૪ વિદ્યાશાખાનાં કુલ ૪૩૦૬૨ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવેલ.જે પૈકી ૧૪૫ છાત્રને સુવર્ણચંદ્રક અર્પણ કરી સનમાનીત કરવામાં આવેલ.

આ સમારોહમાં ‘‘પરર્ફોમિંગ આર્ટ્‍સ'' વિદ્યાશાખાના ૨૮ વિદ્યાર્થીઓમાં ઉચ્‍ચ ગુણ સાથે અવ્‍વલ નંબર મેળવનાર ગ્રામીણ વિસ્‍તાર બોરડી સમઢિયાળા ગામની તેજસ્‍વી પ્રતિભા ધરાવતી કુ.કળપાલી વિરજીભાઈ ગોહેલને રાજ્‍યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગોલ્‍ડ મેડલ સાથે સર્ટિફિકેટ અર્પણ કરી સન્‍માનિત કરવામાં આવેલ.

આ ૫૭માં પદવીદાન સમારોહમાં રાજ્‍ય કક્ષાના શિક્ષણ મંત્રી  પ્રફુલભાઈ પાનસેરિયા અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.ગીરીશભાઈ ભિમાણી ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:36 pm IST)