Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

પોરબંદરમાં સાંદિપની હરી મંદિરે અદિતી વિનોદભાઇ કોટકનું 'આરંગેત્રમ્' યોજાયંુ

પોરબંદર તા. ર૩ :.. સાંદિપની હરી મંદિરે સુરભી કલાવૃંદની શિષ્યા અદિતી વિનોદભાઇ કોટકનો આરંગેત્રમ કાર્યક્રમ યોજાયો હતો.

શહેરમાં સુરભી કલાવૃંદ દ્વારા ર૭ વર્ષથી ભરતનાટયમ, સંગીત, યોગા, લોકનૃત્યો વગેરે કલાઓનું સંસ્થાપક શ્રીમતી ક્રિષ્નાબેન રાણીંગા તેમજ કલાગુરૃઓ તરીકે શ્રીમતી માધુબી લોઢીયા અને શ્રીમતી સુરભી રાણીંગા ભગીરથ કાર્ય કરી રહ્યા છે. તાજેતરમાં સુરભી કલાવૃંદની જ શિષ્યા કુમારી અદિતી કોટક, શ્રીમતી ભાવનાબેન કોટક અને શ્રીમાન વિનોદભાઇ કોટકની પુત્રીનો 'આરંગેત્રમ' કાર્યક્રમ યોજાયો હતો.

અઢી કલાકના આ કાર્યક્રમમાં ભરતનાટયમની પુષ્પાંજલિ, અલ્લારીપુ, જતીશ્વરમ, શબ્દમ, વર્ણમ, પદ્મ દેવી સ્તોત્રમ, તિલ્લાના અને મંગલમ જેવી અદ્વિતીય કૃતઓની રજૂઆત અદિતી કોટક દ્વારા કરવામાં આવી હતી. આ કૃતિઓના ભાવાર્થ કુમારી શ્રધ્ધા થાનકી, કુમારી ધ્રુતિ દવે, કુમારી મૈત્રી પાઉં, કુમારી હેત્વી લાલાની, કુમારી લક્ષ્યા ભટ્ટ અને શ્રીમતી હિના ગોરાણીયા દ્વારા કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જીતુભાઇ રાણીંગાએ કર્યુ હતું. તેમજ કાર્યક્રમનું સંચાલન  દિપક રાણીંગાએ કર્યુ હતું.

આ કાર્યક્રમમાં શ્રીમતી સુરભી રાણીંગાએ ગુજરાતના પ્રથમ ગુરૃ છે કે જમણે આટલી નાની ઉંમરમા આરાંગેત્રમ કરાવ્યું હોય. નોંધ લેવા જેવી બાબત એ છે કે પોરબંદરના ગુરૃ અને પોરબંદરની શિષ્યાએ પોરબંદરમાં આરાંગેત્રમ કર્યુ હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે પૂ. ગો. ૧૦૮ વસંતરાયજી મહારાજ, વલ્લભગૃહ હવેલીના ગોસ્વામી અ. સૌઉ વલ્લભી વહુજી, નટુભાઇ શાસ્ત્રીજી, પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયા, જિલ્લા ભાજપ યુવા પ્રમુખ લકકીરાજ વાળા, ભાજપ મહિલા મોરચા પ્રમુખ મિતાબેન થાનકી પધાર્યા હતાં.

(1:41 pm IST)