Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ભાવનગરમાં સર ટી.હોસ્પિટલનાં ત્રીજા માળેથી ઝંપલાવીને સુનીલ ડાભીનો આપઘાત

ગંભીર બિમારીથી કંટાળીને જીવ દીધાનુ પ્રાથમિક તારણ

(મેઘના વિપુલ દ્વારા) ભાવનગર, તા.૨૩: ભાવનગરની સર ટી. હોસ્પિટલનાં બિલ્ડીંગનાં ત્રીજા માળેથી ઝંપલાવી યુવાને આપઘાત વધેરી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરની સર ટી-હોસ્પિટલનાં પરિસરની કેન્સર હોસ્પિટલનાં ત્રીજા માળેથી વલભીપુર તાલુકાનાં ભોજપરા ગામમાં યુવાન સુનીલભાઇ સવજીભાઇ ડાભી ઉ.વ.૩૭ એ ઝંપલાવતાં તેનું ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત નિપજયુ હતુ. બનાવની જાણ થતાં સ્થળ પર જ મોત નિપજયયુ હતું. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી ને તપાસ હાથ ધરી હતી. ગંભીર બીમારીથી કંટાળી યુવાને આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળેલ છે.

(10:09 am IST)