Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

મોરબીના વાડી વિસ્તારમાં ગૃહ ઉદ્યોગ માટે વીજ કનેક્શનની સમસ્યા ઉકેલતા રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા

સતવારા સમાજે રાજ્યમંત્રીનો આભાર માન્યો

 મોરબીના વાડી વિસ્તારમાં ગૃહ ઉદ્યોગોને વીજ કનેક્શન મેળવવામાં મુશ્કેલી પડતી હતી. જે અંગે બ્રિજેશ મેરજાની મહેનત રંગ લાવી છે. અને સતવારા સમાજનો આ કાયમી પ્રશ્ન હલ કર્યો છે.
મોરબીના વાડી વિસ્તારમાં જ્યાં સતવારા સમાજની વસ્તી આવેલી છે તે વિસ્તારમાં ગૃહ ઉદ્યોગો માટે વીજ કનેક્શન મેળવવામાં ભારે મુશ્કેલીઓ પડતી હતી. આ અંગે રાજ્યમંત્રીએ બ્રિજેશ મેરજાએ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇ સાથે સથવારા સમાજના આગેવાનોની બેઠક રાખી હતી. આ બેઠકમાં વાડી વિસ્તારમાં ગૃહઉદ્યોગ માટે વીજ કનેક્શન મેળવવામાં પડતી મુશ્કેલીનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.
આ અંગે રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના મુખ્ય ઇજનેર,રાજકોટને જરૂરી આદેશો અપાયા છે.
આમ હવે સથવારા સમાજની વાડી વિસ્તારમાં ગૃહ ઉદ્યોગ માટે વીજ કનેક્શનો મેળવવામાં પડતી મુશ્કેલીનું કાયમી નિરાકરણ આવ્યું છે. આવા એક મહત્વના નિર્ણય લેવા માટે સતવારા સમાજે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાનો આભાર માન્યો છે.

(11:53 pm IST)