Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

વાંકાનેરમાં સમસ્‍ત કોળી સમાજ માંધાતા ગ્રુપ દ્વારા સમુહલગ્નઃ ૧૧ નવદંપતિએ પ્રભુતામાં પગલા પાડયા

વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહજીની ખાસ ઉપસ્‍થિતિથી પ્રસંગ દિપી ઉઠયો

રાજકોટઃ સમસ્‍ત કોળી સમાજ માંધાતા ગ્રુપ સમુહ લગ્ન સંમતિ વાંકાનેર દ્વારા પ્રથમ સમુહ લગ્નોત્‍સવ યોજાયો હતો. જેમાં ૧૧ નવદંપતીએ પ્રભુતામાં પગલા પાડયા હતાં. આ લગ્નોત્‍સવ ભગવાન માંધાતા દેવ અને સંત શ્રી વેલનાથ બાપુના મંદિરે થાનગઢ રોડ વાંકાનેર ખાતે યોજાયો હતો. જીજ્ઞાશાબેન તાલુકા પંચાયત સદસ્‍ય વાંકાનેર, ભગવાનજીભાઈ મેર, શામજીભાઈ માંડાણી ભરતભાઈ ડાભી, હનાભાઈ ડાભી, હસમુખભાઈ, રતિલાલ, વેરશીભાઇના આયોજનમાં કાળાસર જગ્‍યાના મહંત વાલજીભગત અને પૂર્વ કેબિનેટ મંત્રી  કુરજીભાઈ બાવળીયા, જીવણભાઈ સાકરીયા રમેશભાઇ પરમાર, ધીરૂભાઈ હાંડા, રાજુભાઈ ઝાપડિયા, નવઘણભાઈ મેઘાણી, ડાયાભાઈ માલકીયા, દેવશીભાઇ શેખડી, ઉકાભાઇ રોજાસરા, અશોકભાઈ ચાવડા, વાલજીભાઈ ચૌહાણ, કાનજીભાઈ ડાભી, કાનાભાઈ સાપરા, માવજીભાઈ નાકિયા, ડો. રાયધનભાઈ મકવાણા, જીગ્નેશ ભાઈ તલસાણીયા, ડો. અરવિંદ ભાઈ ડાભી, ડો.ડાભી, રાયધનભાઈ ચાવડા, સરપંચ-સદસ્‍યો હાજર રહ્યા હતાં.  બામણબોરથી બાબુભાઇ ડાભીના જણાવ્‍યા  વાંકાનેરના રાજવીશ્રી કેસરીદેવસિંહજી પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતાં.

 

(11:07 am IST)