Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

વડતાલધામના આંગણે ‘‘વચનામળત તત્ત્વાર્થબોધ'' સેમિનાર યોજાયો : નવ વી સી અને વિદ્વાનોની ઉપસ્‍થિતી

 વાંકાનેર,તા.૨૩ : વડતાલધામના આંગણે વચનામળત દ્વિશતાબ્‍દી ઉપક્રમે ‘‘વચનામળત તત્ત્વાર્થબોધ'' વ્‍યાખ્‍યાનમાળા આયોજીત કરવામાં આવેલ. વર્તમાન ગાદિપતિ પ પૂ આચાર્ય શ્રીરાકેશ-સાદજી મહારાજ ,ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્‍વામી , ડો સંત સ્‍વામી, શાષાી માધવપ્રિયદાસજી, નૌતમપ્રકાશ સ્‍વામી, ભક્‍તિપ્રકાશ સ્‍વામી, યોગેશ્વર સ્‍વામી - સરધાર લાલજી ભગત દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્‍યું . આચાર્યશ્રીએ ભગવાનશ્રી સ્‍વામિનારાયણના વચન આધારે દાર્શનિક વિચાર વિમર્શ માટે વિદ્વાનોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો અને આવા આયોજન બદલ ડો સંત સ્‍વામીને અભિનંદન પાઠવ્‍યા હતા. આ -સંગે આચાર્ય મહારાજ અને વડિલ સંતો દ્વારા હરેન્‍દ્ર ભટ્ટ લિખિત અંગ્રેજી બુક્‍સ વચનામળત મ્‍યુજીંગ ભાગ -૧ અને ર નું વિમોચન કરવામાં આવ્‍યું હતું . શ્રીબળવંતભાઈ જાની કુલપતિશ્રી સાગર યુનિવર્સિટી દ્વારા ઉપસ્‍થિત વિદ્વાનોના પરિચય સાથે સેમિનારનું સંચાલન કરવામાં આવ્‍યું  હતું.

 સચ્‍ચિદાનંદ મિશ્ર - ઇન્‍ડિયન કાઉન્‍સિલ ફોર ફીલોસોફિકલ રીસર્ચ . ન્‍યુ દિલ્‍હી . અંબિકાદત્ત શર્મા - ડીન - ઓલ ઇન્‍ડિયા દર્શન પરિષદ, સાગર મધ્‍ય-દેશ , તેજસ્‍વી કટ્ટમણી- ટ્રાયબલ યુનિવર્સિટી - આંઘ્ર-દેશ , રજનીશ શુક્‍લ , કુલપતિ - મહાત્‍મા ગાંધી ઈન્‍ટરનેશનલ યુનિવર્સિટી વર્ધા - મહારાષ્‍ટ્ર ,નિરંજન પટેલ - કા. કુલપતિશ્રી એસ પી યુનિવર્સિટી , લલિત પટેલ કા. કુલપતિશ્રી સોમનાથ સંસ્‍કળત યુનિવર્સિટી , -તાપસિંહ ચૌહાણ કુલપતિ- ગુરૂ ગોવિંદસિંહ યુનિવર્સિટી ગોધરા , સારંગ દેવતાજી કુલપતિશ્રી જનાર્દન યુનિવર્સિટી - ઉદયપૂર , ગોદાવરીષ મિશ્રા - કુલપતિ નાલંદા યુનિવર્સિટી - બિહાર , રામપ્રિયજી . -ધાનાચાર્ય દર્શનમ સંસ્‍કળત વિદ્યાલય , જશવંત રાવલ - તંત્રીશ્રી નયા પડકાર નંદકિશોર પાંડે , સેન્‍ટ્રલ હિન્‍દી સંસ્‍થા આગ્રા જેવા નિષ્‍ણાંતોએ વચનામળત અને વેદાંતની ગહન ચર્ચાઓ કરી હતી. આ સારસ્‍વત પુરુષોનું વડતાલ સંસ્‍થા વતી મુખ્‍ય કોઠારીશ્રી ડો સંત સ્‍વામીએ યથોચિત સ્‍વાગત અભિવાદન કર્યુ હતું .

(11:36 am IST)