Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

વાંકાનેરમાં મહા વેકશીનેશન અભિયાનનો પ્રારંભ કોવીડ-૧૯માં સેવા આપનાર સેવકોનું સન્માન

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા.૨૩: રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના કોવીડ-૧૯ વેકશીનેશન મહા અભિયાનનો પ્રારંભ અધીકારીશ્રીઓ - પદાધીકારીઓ અને ઉદ્યોર્ગીપતીઓની ઉપસ્થિતીમાં યોજાયો હતો.

આ કાર્યક્રમના પ્રારંભે વાંકાનેર-કુવાડવા વિસ્તારના ધારાસભ્યશ્રી મહંમદ જાવેદ પીરઝાદાદાના વરદ હસ્તે દિપ- પ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવેલ. વેકશીનેશન કાર્યક્રમમાં વાંકાનેરના પ્રાંત અધિકારી શેરસીયા, વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન સેજપાલ, અગ્રણી ઉદ્યોગપતી ઘનશ્યામભાઇ ઢોલરીયા, ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ પ્રજ્ઞેશભાઇ પટેલ, દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ પ્રજ્ઞેશભાઇ પટેલ, દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ  અનંતરાય મહેતા (અનુકાકા), વાંકાનેર શહેર ભા.જ.પ પ્રમુખ પરેશભાઇ મઢવી, ગજેન્દ્ર રાઠોડ, ભરત ઠાકરાણી, વાંકાનેર સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો.ફાલ્ગુનીબેન ત્રીવેદી, આર.એમ.ઓ. ડો.એચ.ડી.પરમાર, સહીત તબીબી અધિકારીઓ, નર્સિગ સ્ટાફ, પેરા મેડીકલ સ્ટાફ અને ૧૮ થી ૪૫ વચ્ચેનો વેકશીનેશનના લાભાર્થીઓની ઉપસ્થિતીમાં યોજાયેલ.

મંચસ્થ અગ્રણીઓએ કોરોના મહામારીથી બચવા રસી, મુકાવવી અતી આવશ્યક હોવાનું અને તેનાથી થતા ફાયદાની જાણકારી આપેલ આ કાર્યક્રમમાં કોવીડ-૧૯માં સેવા આપનાર સંસ્થાઓના અગ્રણીઓનું સન્માન કરી તેની સેવાઓને બીરદાવવામાં આવેલ.

(11:38 am IST)