Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

જુનાગઢ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આયોજીત યોગ કાર્યક્રમમાં અંજલીબેન રૂપાણી, બીનાબેન આચાર્ય સહિતના જોડાયા

જુનાગઢઃ ભકતકવિ નરસિંહ મહેતા યુનીવર્સીટી દ્વારા જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૨૧ જૂન આંતરરાષ્‍ટ્રીય યોગ દિન ૨૦૨૨ની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના યોગ દિનના ઈન્‍ચાર્જ ઈ.સી.મેમ્‍બર ભાવનાબેન અજમેરાએ ડો.આર.એન. વારોતરિયા મહિલા આર્ટસ અને માતુશ્રી આર.ડી. કોઠારી મહિલા કોમર્સ કોલેજ જામખંભાળિયા ખાતે સમુહ યોગનું આયોજન કરેલ હતું. જેમાં અધ્‍યક્ષ સ્‍થાને શ્રીમતી અંજલિબેન વિજયભાઈ રૂપાણી, પ્રભારી રાજકોટ શહેર ભાજપ તેમજ બીનાબેન આચાર્ય પ્રદેશ મંત્રી ભાજપ ગુજરાત પ્રદેશ તથા સંગઠન પ્રભારી દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ હાજર રહ્યા ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાની દરેક કોલેજોના અધ્‍યાપકો તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. જેમાં ૬૦૦થી વધુ દિકરીઓએ ડ્રમ પીટી દ્વારા મહેમાનોનું ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું અને ૧૫૦થી વધુ દિકરીઓ સમૂહ યોગમાં જોડાય હતી.

 

(1:05 pm IST)