Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

તાલાલા ગીરમાં શ્રી ઉદાસીન આશ્રમમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી

સદગુરૂશ્રી સોબરનદાસબાપૂનું વિશેષ ગુરૂપુજન સંપન્ન

વાંકાનેર,તા.૨૩ : તાલાલાગીર માં આવેલ શ્રી બરમેશ્વ્રર મહાદેવ મંદિર, શ્રી ઉદાસીન આશ્રમ ખાતે આજરોજ સવારે સદગુરૂદેવશ્રી સોબરનદાસબાપૂ ના મંદિરે શ્રી સદગુરૂદેવશ્રી ની મૂર્તિ નું ગુરૂપુજન ''હરી હર ગ્રુપ'' દ્વારાભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે કરવામાં આવેલ હતું તેમજ ગુરુસ્થાન મનસાદેવીધામ ખાતે પૂજ્ય સદગુરૂશ્રી રામદાસજીબાપૂ નું ગુરૂપુજન કરવામાં આવેલ હતું , શ્રી ઉદાસીન આશ્રમ ખાતે આવેલ ઉદાસીન આચાર્યદેવશ્રી ૧૧૦૮ જગતગુરૂશ્રી ચદ્રંભગવાન નું વિશેષ પૂજન , અર્ચદાસ , મહા આરતી કરવામાં આવેલ હતી તેમજ હાલના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ નું પૂજન સહુ ભકતોએ કરેલ હતું ગુરૂપુજન બાદ ''મહાપ્રસાદ'' બપોરે યોજાયેલ હતો સદગુરૂદેવશ્રી સોબરનદાસબાપૂનું ગુરૂપુજન શરણાઈના સૂરો વચ્ચે તાલાલા શહેર તેમજ બહારગામથી પધારેલા ગૂરૂ ભકતજનોએ સોસ્યલ ડિસ્ટન સાથે વિશાળ સંખ્યામાં કરેલ હતું ,, જય ગુરૂદેવ, સંત શ્રી સુમિરનદાસબાપૂ કી જય ના નારાથી વાતાવરણ ગુંજી રહેલ હતું, પૂજ્ય સદગુરૂદેવશ્રી ના પૂજન અર્ચન કરીને સહુએ મહા પ્રસાદ લીધેલ હતો જે હરી હર ગ્રુપ ની યાદીમાં જણાવાયું છે.

 

(11:37 am IST)