Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

માળીયા(મી) હરીપર ખાતે તેમજ કોટડા નાયાણી ના પાટીયે આશાપુરા મઢના પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન.

 મોરબીમાં માળીયા (મી.)ના હરીપર ખાતે આશાપુરા માતાના મઢના પદયાત્રીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે.
કચ્છ ખાતે આવેલ આશાપુરા માતાના મઢના પદયાત્રીઓ માટે દેવ સોલ્ટ, સુરજબારી પુલ પાસે, હરીપર, માળીયા ખાતે લિયોનેટ લેમિનેટ્સ, રિયલ ટચ લેમિનેટ્સ, રાષ્ટ્રીય હિન્દુ સંઘ અને પટેલ વિજય ટીંબર માર્ટના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૫/૦૯થી ૦૨/૧૦ સુધી કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પમાં ૨૪ કલાક ચા – નાસ્તો, બપોરે તથા રાતે ભોજનપ્રસાદ, મેડીકલ સુવિધા અને યાત્રાળુઓને દવાઓનું વિતરણ કરવામાં આવશે. તેમજ યાત્રાળુઓ માટે શાંત વાતાવરણમાં આરામની વ્યવસ્થા અને મોબાઈલ ચાર્જની સુવિધા આપવામાં આવશે.
વધુ વિગત માટે દયારામભાઈ પટેલ ૯૮૨૫૨ ૪૬૫૫૧, દિલીપસિંહ જાડેજા ૯૯૭૯૧ ૦૦૩૩૩, અશ્વિનભાઈ માકડીયા ૯૮૨૪૧ ૮૯૧૪૩ અથવા દિનેશભાઈ નાકરાણી ૯૫૩૭૮ ૨૧૭૬૬નો સંપર્ક કરી શકાશે.
માતાના મઢ જતા પદયાત્રીઓ માટે કોટડા નાયાણીના પાટીયે સેવા કેમ્પ.
 આશાપુરા યુવા ગ્રુપ તથા સમસ્ત રાજપૂત સમાજ કોટડા નાયાણી દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે રહેવા, ન્હાવા તથા મેડિકલ સુવિધા રાખવામાં આવી છે. સાથે પ્રસાદ-ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેમ્પ માધવ હોટેલના ગ્રાઉન્ડમાં રાજકોટથી ૨૦ કિમિ મોરબી રોડ પર કોટડા નાયાણીના પાટીયે તા.૨૩  થી ૨૭ સુધી રાખવામાં આવ્યો છે. કેમ્પમાં પધારી તેનો લાભ લેવા પદયાત્રીઓને કોટડા નાયાણી રાજપૂત સમાજ દ્વારા અપીલ કરવામાં આવી છે.

(11:13 am IST)