Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

કોરોના શાંત થતા હવે જુનાગઢમાં ડેન્ગ્યુનો ફુંફાડો

૧૦૦ થી વધુ કેસ નોંધાતા દોડધામ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.ર૩ :   કોરોના શાંત થતા હવે જુનાગઢમાં ફુફાડો મારવાનું શરૂ કર્યુ છે.

છેલ્લા ઘણા સમયથી જુનાગઢમાં કોરોના એક પણ નવો કેસ નોંધાયો નથી ત્યાં ડેન્ગ્યુના રોગ ચાળાએ માથુ ઉચકયુ  છે.

જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના બે અને ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યુનાં અંદાજે ૧૦૦ કેસ નોંધાતા હોવાનું જાણવા મળેલ ે.

જો કે મનપા તંત્રએ ડેન્ગ્યુનો રોગચાળો વધુ ન વકરે તે માટે પગલા લેવાનું શરૂ કર્યુ છે. તેના ભાગરૂપે ૩૦ ટીમો દ્વારા બિમારી અંગે ડોર ટુ ડોર જઇને સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

બીજી તરફ પાણી જન્ય અને મચ્છરજન્ય રોગચાળાને લઇ શરદી, તાવ, કળતર, વગેરે સામાન્ય બિમારીનો કેસમાં પણ વધારો થયો હોવાનું જાણવા મળેલ છે.

(12:47 pm IST)