Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

દીપડીના મોતના કારણ માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની પ્રતિક્ષા

લેરીયાગામની સીમમાં ખેતરમાંથી મળ્યો મૃતદેહ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૩ : વિસાવદરના લેરીયા ગામની સીમાં એક ખેતરમાંથી દીપડાના મળેલા મૃતદેહનાં મામલે દીપડીના મોતના કારણ અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટની પ્રતિક્ષા થઇ રહી છે.

વિસાવદરના લેરીયા ગોરધનભાઇ ગોંડલીયાના ખેતરમાંથી ૮ થી ૧૦ વર્ષની દીપડીનો મૃતદેહ મળી આવતા વન વિભાગના ફિલ્ડ સ્ટાફે દોડી જઇ તપાસ હાથ ધરી મૃતદેહને પી.એમ.માટે મોકલી આપ્યો હતો.

દીપડીના મોત પાછળનું ચોકકસ કારણ જાણવા મળેલ નથી. પરંતુ વીજ કરંટથી દીપડીનું મોત થયાનું અનુમાન છે.સીસીએફ ડો. ડી.ટી.વસાવડાએ સવારે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે હાલ  દીપડીના મોત અંગે કંઇ કહેવું મુશ્કલ છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ જાણવા મળી શકશે. છતા જુદા જુદા એંગલથી તપાસ કરવામા આવી રહી છે.

(1:21 pm IST)