Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

સોમનાથ સમુદ્રતટ સ્‍થિત વાઘેશ્વરી માતાજી મંદિરે નવરાત્રી મહોત્‍સવ ઉજવાશે

(મીનાક્ષી -ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ,તા. ૨૩ : વિશ્વ પ્રસિધ્‍ધ સોમનાથ મહાદેવ મંદિરે સમીપ સમુદ્ર તટ વાઘેશ્વરી મંદિરે માં આદ્યશકિતની ઉપાસના પર્વ નવરાત્રી ભાવ-ભકિતથી ઉજવાશે.

સોમનાથ ટ્રસ્‍ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્‍યું કે નવરાત્રિમાં વાઘેશ્વરી મંદિરે માતાજીના ગરબા-પુજા-પાઠ,આરતી-ચંડીપાઠ-હોમ-હવનયજ્ઞ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે.

(11:06 am IST)