Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

વાંકાનેરમાં અનિલે કામધંધો ન ચાલતાં ઝેરી પ્રવાહી પી લીધું

રાજકોટ તા. ૨૩: ધંધાકીય મંદીને કારણે ઘણા લોકો હિમ્‍મત હારી આપઘાત કે આપઘાતનો પ્રયાસ કરતાં હોય છે. વાંકાનેરમાં જીનપરા-૧૧માં રહેતાં અનિલ રાજેશભાઇ સોલંકી (ઉ.૩૧) નામના યુવાને સાંજે મચ્‍છર મારવાનું ઝેરી પ્રવાહી પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયાએ વાંકાનેર પોલીસને જાણ કરી હતી.
અનિલ એક બહેનથી નાનો અને કુંવારો છે. તે દરજી કામ કરી પરિવારને મદદરૂપ થાય છે. તેણે કહ્યું હતું કે હાલમાં ધંધામાં સતત મંદી હોઇ આ કારણે પોતે કંટાળી જતાં આ પગલુ ભર્યુ હતું.

 

(11:30 am IST)