Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

શ્રી સોમનાથ મંદિરે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારતના ગૃહમંત્રી અમીતભાઇ શાહના પ૮'માં જન્મદિવસની ઉજવણી

વેરાવળ-પ્રભાસપાટણઃ શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારતના ગૃહમંત્રી રી અમીતભાઇ શાહના પ૮'માં જન્મદિવસ નિમીતે આયુષ્ય મંત્ર જાપ-મહાપૂજા-ધ્વજપુજા તેમના પ્રતીનીધિ સ્વરૂપે ઇન્ચાર્જ જનરલ મેનેજરશ્રી દ્વારા કરવામાં આવેલ. શ્રી અમીતભાઇના નિરામય દિર્ઘાયુષ્ય માટે આયુષ્યમંત્ર જાપ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરવામાં આવેલ. આજરોજ સાંજે ભગવાન સોમનાથને સાયં વિશેષ શૃંગાર સાથે દિપમાલા કરવામાં આવનાર છે. આ પ્રસંગે ટ્રસ્ટના અધિકારીશ્રી તથા તિર્થ પુરોહિતો ઉપસ્થિત રહ્યા હતા અને સોમનાથ મહાદેવ પાસે તેમના નિરામય અને દિર્ઘાયુષ્યની પ્રાર્થના કરી હતી. (તસ્વીર-અહેવાલઃ દિપક કકકડ-દેવાભાઇ રાઠોડ-વેરાવળ-પ્રભાસ પાટણ)

(11:51 am IST)