Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શને ભુપેન્દ્રભાઇ પટેલ

વાંકાનેર : બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળંગપુરમાં  આવેલ સૌનું આસ્થાનું પ્રતિક એવાશ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દાદાના દર્શનાથે સવારે પધારેલા હતા અને દાદાના દરબારમાં ચાલતી શ્રી રામ કથાનો લાભ લીધેલ હતો. શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પુષ્પહારથી કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી તથા શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ સન્માન કરી આશીર્વાદ આપેલા હતા આજે શનિવાર હોય સવારે મંગળા આરતી ૫:૩૦ કલાકે કરવામાં આવેલ તેમજ શણગાર આરતી સવારે સાત કલાકે સંતો દ્વારા કરવામાં આવેલ હતી. આજે શનિવાર હોય દાદાના દરબારમાં ભાવિકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

(1:28 pm IST)