Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

રાજગોર બ્રાહ્મણ યુવા પ્રતિનિધિમંડળ મુકતાનંદ બાપુની મુલાકાતે

જુનાગઢઃ ચાપરડા બ્રહ્માનંદ વિદ્યાલયના શિલ્પી એવમ્ ક્રાંતિકારી સંત પૂ. મુકતાનંદ બાપુ સાથે રાજગોર વેવિશાળ હેલ્પ ગ્રુપ રાજગોર બ્રાહ્મણ  વેવિશાળ ડિરેકટરી બાબતે ચર્ચા-વિચારણા તથા આશીર્વાદ લેવા તેમજ તૈયાર થઈ ગયેલી વેવિશાળ ડિરેકટરીની વિમોચન વિધિ બાબતે બ્રહ્માનંદ ધામ આશ્રમે આવેલ. ત્યારે પૂ.બાપુએ પોતાના ક્રાંતિકારી વિચારો જણાવેલ.

પૂ. બાપુએ જણાવેલ કે આ વિમોચન પ્રસંગે સમાજને અનુકૂળ અને આપણા સહિયારા વિચારોના આદાન-પ્રદાન સાથે તા.૨૧-૧૧-૨૦૨૧ ના રોજ ચાપરડા બ્રહ્માનંદ ધામ આશ્રમના પરિસરમાં તૈયાર થઈ ગયેલી રાજગોર બ્રાહ્મણ વેવિશાળ ડિરેકટરીની વિમોચન વિધિ કાર્યક્રમ યોજવા હું સંમતિ આપું છું.

    પૂ.બાપુએ સાથે જણાવેલ કે સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓથી જ સમાજ વિકસે છે. આવી સુંદર વિચાર ગોષ્ટી બાદ આશીર્વાદ મેળવતા ભુપતભાઈ મહેતા, અજયભાઈ તેરૈયા, અશોકભાઈ જોશી, ભાનુભાઈ જોશી,ગિજુભાઈ વિકમા,  પ્રશાંતભાઈ મહેતા, રાજેશભાઈ બામટા, કિરીટભાઈ ભરાડ ,મેહુલભાઈ મહેતા , કિશનભાઇ તેરૈયા, દેવાંગભાઈ રવિયા, વિજયભાઈ તેરૈયા, સી. વી. જોશી. છે.

અંતમાં સંસ્થાના બાંધકામ સુપરવાઇઝર તેમજ ભોજનાલયના જવાબદાર ચંદુભાઈ જોશીએ તમામ મહેમાનોને પ્રસાદ લેવાની  વ્યવસ્થા કરેલ.

(1:32 pm IST)