Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

વાંકાનેર શ્રી ગાયત્રી પરિવારનાં ભકતો સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીનાં દર્શને

વાંકાનેર, તા.૨૩: બોટાદ જિલ્લાના સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે શ્રી ગાયત્રી મંદિર, વાંકાનેર ના સંચાલક શ્રી કાર્તિકભાઈ અશ્વિનભાઇ રાવલ, રાહુલભાઈ જોબનપુત્રા, શૈલેષભાઈ ત્રિવેદી,  નરેન્દ્રભાઈ દવે, અને હિતેષભાઇ રાચ્છ સહિતના દર્શનાથે ગયેલ જયાં દાદાના દર્શન કરી ધન્યતા અનુભવેલ જયાં સાળંગપુર મંદિરના પ. પૂજય શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) તેમજ પ.પૂ.કોઠારી સ્વામીશ્રી વિવેક્સાગરદાસજી સ્વામી, પ. પૂ પૂજારી સ્વામી શ્રી ધર્મકિશોરદાસજી સ્વામી ( ડી, કે, સ્વામી ) સંતોના ગાયત્રી પરિવારે દર્શન કરીને આશીર્વાદ મેળવેલ જે પ્રંસગે પ. પૂ .કોઠારી સ્વામી શ્રી વિવેકસાગર દાસજી સ્વામી, પ પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામી, પ. પૂ પૂજારી સ્વામી શ્રી ડી.કે. સ્વામીએ ગાયત્રી પરિવારના શ્રી કાર્તિકભાઈ રાવલને દાદાની પ્રસાદીની પુષ્પમાળા પહેરાવી અને દાદાની મૂર્તિ ગાયત્રી મંદિર, વાંકાનેરને અર્પણ કરેલ તેમજ ગાયત્રી પરિવારના અને દાદાના ભક્તજન હિતેષભાઇ રાચ્છને પણ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવની મૂર્તિ ‘અકિલા’ દૈનિકને અર્પણ કરેલ તેમજ  ‘અકિલા’ના મોભી શ્રી કીરીટભાઇ ગણાત્રા અને તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રાનો આભાર માન્યો હતો.
અખબારના માધ્યમથી હજારો લોકો દાદાના દર્શન કરે છે. દાદા સહુનું કલ્યાણ કરે એવી પ્રસન્તા સાથે અકિલા અખબારનો આભાર માનેલ હતો.

 

(11:46 am IST)