Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

મોરબીના મહેશભાઇ વસાણીનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૩: મોરબી લીલાપર રોડ પર આવેલી યદુનંદન ગોૈશાળા આશ્રમમાં રહેતાં મહેશભાઇ ઇન્દુભાઇ વસાણી (ઉં.વ.૫૭) વર્ષોથી વિકલાંગ હોઇ ગઇકાલે બિમારીને કારણે બેભાન થઇ જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે મોરબી જાણ કરી હતી. મૃતક બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં. વિકલાંગ અને બિમાર હોઇ આશ્રમમાં રાખી સારવાર કરાવવામાં આવી રહી હતી.

 

(11:52 am IST)