Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

કુવાડવા-મેસવડાના નાનજીભાઇ પ્રજાપતિનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૩: બામણબોર નજીકના મેસવડા ગામે રહેતાં નાનજીભાઇ પોપટભાઇ જાગાણી (પ્રજાપતિ) (ઉં.વ.૬૮) સાંજે આઠેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર નિવૃત જીવન જીવતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે.

 

(11:53 am IST)