Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

સિંચાઇ વિભાગે સાવરકુંડલાના હાથસણીના ખેડૂત ખાતેદારોને રૂ. ૧૫ લાખ ૮૮ હજારનું વળતર ચૂકવ્યુ

અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાના પ્રયાસોથી  : ગત વર્ષે શેલ દેદુમલ ડેમ સંપૂર્ણ સપાટીએ ભરાતા આસપાસના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને નુકશાન થયેલ

અમરેલી,તા. ૨૩ :  સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસોથી સિંચાઈ વિભાગ તરફથી સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામના સાત ખેડૂત ખાતેદારોને રૂ. ૧પ લાખ ૮૮ હજાર નું વળતર ચુકવવામાં આવેલ છે. ગત વર્ષે પડેલ પુષ્કળ વરસાદના લીધે શેલ દેદુમલ ડેમાં પાણીની વ્યાપક આવક થતા ડેમ સંપૂર્ણ સપાટીએ ભરાતા હાથસણી ગામના સાત જેટલા ખેડૂત ખાતેદારોના ખેતરોમાં ઉભા પાકને નુકશાન પહોચેલ હતુ. સદર બાબતે ખેડૂત ખાતેદારો દ્વારા સ્થાનિક સિંચાઈ વિભાગના અધિકારીઓને અનેકવાર અરજીઓ આપવા છતા ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર ન મળતા આ ખેડૂત ખાતેદારો સાંસદશ્રી સમક્ષ પોતાની રજૂઆત લઈ પહોચ્યા હતા.

સાંસદશ્રીએ તાત્કાલીક આ પ્રશ્ન જીલ્લા સંકલન અને ફરીયાદ નિવારણ બેઠકમાં લેતા સિંચાઈ વિભાગ તરફથી ચેક તા. ૪/૧૦/ર૦ર૧ થી હાથસણી ગામના ખેડૂત ખાતેદારો ગોકળભાઈ પોપટભાઈ દેવાણી ને રૂ. ર,૩૬,૦૭૯/–, જયસુખભાઈ પ્રાગજીભાઈ સુતરીયાને રૂ. ર,૩૧,૪૩૦/–, મનુભાઈ પ્રેમજીભાઈ સુતરીયાને રૂ. ર,૮૩,રપર/–,  સાકરબેન બાબુભાઈ બુહાને રૂ. ૬,૧૩,૧૩૮/ –, વિઠલભાઈ બાબુભાઈ બુહા ને રૂ. ૧,૩૭,પ૩૮/–, કંચનબેન વિઠલભાઈ બુહાને રૂ. ર૮,૬ર૭/– અને વિઠલભાઈ બાબુભાઈ બુહાને રૂ. પ૭,૯૪ર/– એમ કુલ ૧પ,૮૮,૦૦૬ વળતર ચુકવવામાં આવેલ.

(12:35 pm IST)