Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ જામનગરના લેઉવા પટેલ સમાજની મુલાકાતે

જામનગર : ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ જામનગરની મુલાકાતે આવ્યા હતાં. તેઓએ રણજીતનગર ખાતે આવેલ શ્રી લેઉવા પટેલ સમાજની મુલાકાત લીધી હતી. આ તકે જ્ઞાતિના પ્રમુખશ્રી મનસુખભાઇ રાબડીયા અને અગ્રણીઓ દ્વારા નરેશભાઇ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં નરેશભાઇ પટેલે સમાજ ભવન ખાતે તૈયાર કરવામાં આવેલ એસી હોલ, અતિથીગૃહ, ટેરેસ ગાર્ડન તથા મિટીંગ હોલ સહિત ચાલી રહેલ વિકાસ કાર્યોની માહિતી મેળવી આનંદ વ્યકત કર્યો હતો. નરેશભાઇ પટેલની સાથે પ્રમુખશ્રી મનસુખભાઇ રાબડીયા, ઉપપ્રમુખ અરજણભાઇ સોજીત્રા, મંત્રી અશોકભાઇ પટેલ, એડવોકેટ રમેશભાઇ વેકરીયા, લવજીભાઇ વાદી, કૈલાસભાઇ રામોલીયા, અશોકભાઇ ભંડેરી, દિનેશભાઇ રાબડીયા, ડો. નિકુંજ ચોવટીયા, ડો. સાવલીયા, તરૂણભાઇ વિરાણી, કિશોરભાઇ સંઘાણી, વલ્લભભાઇ મુંગરા, દિનેશભાઇ દોંગા, એડવોકેટ મણીલાલ કારસરીયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી -જામનગર)

(12:35 pm IST)