Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

મોરબી રોટરી ક્લબ દ્વારા સ્વાસ્થ્ય મંગલ વૈદિક પરંપરાથી નિદાન કેમ્પ યોજાશે.

મોરબી :રોટરી ક્લબ મોરબી દ્વારા તા. ૨૮ ને રવિવારે સવારે ૯ થી સાંજે ૫ સુધી શ્રી લખધીરજી એન્ડાઉમેન્ટ ટ્રસ્ટ દવાખાનું, શાક માર્કેટ સામે, મોરબી ટાઉન હોલ પાસે સ્વાસ્થ્ય મંગલ વૈદિક પરંપરાથી નિદાન કેમ્પનું આયોજન કરેલ છે

જે કેમ્પમાં વર્ષોના અનુભવી અને આયુર્વેદના સમન્વયથી શરીરના જટિલ રોગોનું નાડી પરીક્ષણ દ્વારા યોગ્ય નિદાન, માર્ગદર્શન અને ઈલાજ ગીર (સાસણ) ના પ્રખર વૈઘ જીજ્ઞેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે જે કેમ્પમાં અગાઉ નામ નોંધાવવાનું રહેશે નામ નોંધાવવા માટે ભરતભાઈ કાનાબાર મો ૮૮૪૯૦ ૩૧૦૦૮, સિદ્ધાર્થભાઈ જોશી મો ૯૨૨૮૮ ૯૭૩૭૨ અને હરીશભાઈ શેઠ મો ૯૩૭૬૧ ૬૧૪૦૬ પર સંપર્ક કરવા સંસ્થા પ્રેસિડેન્ટ બંસીબેન શેઠ અને સેક્રેટરી રશીદાબેન લાકડાવાલાની યાદીમાં જણાવ્યું છે

(9:45 pm IST)